MORBIMORBI CITY / TALUKO

મોરબીની માધાપરવાડી શાળાના બાલવાટિકાના બાળકો બોલ્યા:- પ્રવેશોત્સવ થાય કે ન થાય ભુરજીમાસા બેગ તો આપે જ

મોરબીની માધાપરવાડી શાળાના બાલવાટિકાના બાળકો બોલ્યા:- પ્રવેશોત્સવ થાય કે ન થાય ભુરજીમાસા બેગ તો આપે જ :  રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,બૂટાવાડીના ભુરજીભાઈ પરમાર દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભુરજીભાઈએ વજેપરવાડી,માધાપરવાડી,બુટાવાડી બોરીયાપાટી,સભારાવાડી, તેજાણીવાડી વગેરે પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર 200 જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે.ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે દાતા ભુરજીભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button