BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

ભરૂચના પૂર્વ રાજ્યમંત્રીનો મુખ્યમંત્રીને પત્ર લખ્યો અચાનક હાર્ટ એટેકથી થતા યુવાનોના મૃત્યુમાં ઉચ્ચસ્તરીય કમિટી બનાવી તપાસ કરાવવા રજુઆત.

 

 

 

ભરૂચના પૂર્વ રાજ્યમંત્રી ખુમાનસિંહ વાસીયાએ રાજ્ય અને દેશમાં થતા યુવાનોના હદયરોગથી હુમલામાં અચાનક મોત પાછળ ચીન, પાકિસ્તાન કે અન્ય કોઈ દેશનું કાવતરું નથીને તેની તપાસ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

 

ગુજરાતમાં છેલ્લા છ માસથી હૃદયરોગના હુમલાથી 50 વર્ષથી અંદરના યુવાધનના આકસ્મીક અવસાનના સમાચારો જાણવા મળે છે. જેને લઈ લોકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. સુરતમાં કીકેટ રમતા , એકસસાઇઝ કરતાં , ડાન્સ કરતાં , યોગ કરતા , ચાલુબાઇક પર જતાં , ઘરમાં સોફા પર બેઠા બેઠા , દરજીની દૂકાને કપડા સીવડાવતાં માપ આપતા તેમજ બાથરૂમમાં નહાવા જતાં 19 વર્ષીય યુવાનનુ રાજકોટમાં હાર્ટ એટેકથી અવસાન થયુ છે.

 

તાજેતરામાં જ જામનગરના નામાંકીત ડો.ગૌરવ ગાંધી કે જેઓ એ 16,000 હાર્ટના ઓપરેશન કરેલ હતા. તેઓની જીવનશૈલી એકદમ સરળ હતી. શરીરનો બાંધો એકલવડીયો તેમજ તેમને કોઇ પણ પ્રકારનુ વ્યસન ન હતું. તેમ છતા આવી 41 વર્ષની વ્યકિતને પણ કોઈ જાતની ખબર પડયા સિવાય ઉંઘમાં જ હૃદય બંધ પડી જતુ હોય તો આ એક કિસ્સો દરેક માટે ચિંતાનો વિષય છે.

 

તબીબી જગત તેમજ નેશનલ ઇન્ડીયન એસોસીયેશન પણ તેના વિશે વિચારણા કરી રહ્યુ છે. આમ આપણા દેશમાં પ્રજા જીવનમાં એક ચિંતા સાથે ભયનું વાતાવરણ બને છે. જ્યારે કુલવસ્તીના 50 % કરતા વધુ યુવાધન છે અને આ પ્રકારે હૃદયરોગના હુમલાથી અવરાાન પામે છે ત્યારે આ અંગેનુ કારણ શું હોય શકે.

 

જેમકે કેમીકલયુક્ત શાકભાજી ફળો , અનાજ ઝંકફુડ બહારનો ખુલ્લો ખોરાક અને કેમીકલયુક્ત દુધ , કોલ્ડ્રીંક , દવાઓ એલોપેથી દવાઓ કે જે અન્ય રોગો ઉભા કરે છે.

 

ચીન , પાકિસ્તાન કે અન્ય દેશોનુ છે, તે માટે ઉચ્ચસ્તરીય તપાસ કમીટીની રરાના કરી અને યોગ્ય તપાસ થવી જોઇએ તેવી માંગ કરી જેમ બને તેમ ઝડપી નીર્ણય લઇ ઘટતુ કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઈ છે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button