માળીયા( મી. )ના બગસરા ગામે પીવા નું પાણી ની સમસ્યા થી ગ્રામજનો ત્રાહિમામ

મોરબી: માળીયાના બગસરા ગામ પંચાયત દ્વારા ગામ આવેલ તળાવમાં માં કુવાબનાવીને ગામ નો માલઢોર ગાય ભેંસ અને દરિયાકાંઠે વસતા ઊટ માટે માટે અને ગામ મા વસવાટ ગ્રામજનો ને પુરૂ પાણી પીવા માટે પણ વલખા મારવા પડે છે.

ત્યારે ગામ પંચાયત દ્વારા આ કુવા બનાવીને તેમાં મોટર મુકી ને માલઢોર માટે અલગ વ્યવસ્થા કરવા મજબૂર કરેલ છે જ્યારે બગસરા ગામ દરીયાકાંઠે છેવાડું નો ગામ હોય ઉનાળામાં માં પાણી પીવા ઓછું આવતું હોય અને જ્યારે સંબધિત તંત્ર ને અનેક રજૂઆતો અગાઉ કરેલ હોય અને તાજેતરમાં ફોન દ્વારા પાણી પુરવઠા ના કોન્ટ્રાક્ટ ને અને અધિકારી ને માહીતી આપી પણ કોઈ નકર કાર્યવાહી નો કરી અને ફોન માં કહે છે કે મોરબી થી પાણી ઓછું આવે છે અને નાના ભેલા ફોન કરી તો પીપળીયા ચાર રસ્તા પાણી પુરવઠા માં પાણી પુરતુ આવતું નથી જ્યારે આજુબાજુ ગામ માં પાણી ની કોઈ તકલીફ પડતી નથી અને મીઠા ઉધોગ ના ટેન્કર રોજ ભરવા માટે પાણી પુરૂતુ હોય તો ગામ બગસરા ની વસ્તી આશરે 1800 થી 2000 અને પસુ આસરે 400 થી 500 હોય તો આટલો બગસરા ને પાણી માટે વલખા મારવા પડે છે ગ્રામજનો ને તાત્કાલિક પાણીની સુવિધા થાઈ તેવી ગ્રામજનો ની માંગણી છે.










