BHARUCHBHARUCH CITY / TALUKO

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના ફેકલ્ટીઓની સિદ્ધિ

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના ફેકલ્ટીઓની સિદ્ધિ

કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના ફેકલ્ટીઓ ડો. આર. આર. વાઘુંડે અને ડો. જે.આર. પંડ્યા એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી. ઇન્ડિયન સોસાયટી ઓફ પલાન્ટ પેથોલોજીસ્ટ્સ, પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાણા દ્વારા ડો. વાઘુંડેની વર્ષ 2023-24 માટે વેસ્ટ ઝોન કાઉન્સિલર તરીકે પસંદગી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ આગાઉ વર્ષ 2022-23 માં પણ કોલેજના ફેકલ્ટી ડો. પંડ્યા દ્વારા આ સોસાયટી નું વેસ્ટ ઝોન કાઉન્સિલર તરીકે સુકાન સંભાળવામાં આવ્યું હતું. આમ સતત બે વર્ષથી કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ રાષ્ટ્રીય લેવલની આ સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે છે. કોલેજના આચાર્યશ્રી ડો.ડી.ડી. પટેલ દ્વારા ડો. વાઘુંડેને અભિનંદન પાઠવવામાં આવ્યા.
વધુમાં તા. 29 થી 31 માર્ચ, 2023 દરમિયાન જસ્ટ એગ્રીકલ્ચર, SGT યુનિવર્સિટી, ગુરુગ્રામ અને ISAHRD, ચંદીગઢ દ્વારા સંયુક્ત રીતે આયોજિત “કૃષિ, બાગાયત અને સંલગ્ન વિજ્ઞાનમાં નવીન અભિગમો” પર આંતરરાષ્ટ્રીય પરિષદ (IAAHAS-2023)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. પંડ્યા દ્વારા ઓનલાઈન માધ્યમ દ્વારા તેઓએ કરેલા સંશોધન પર ઓરલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જસ્ટ એગ્રિકલ્ચર ગ્રુપ અને ISAHRD સોસાયટી દ્વારા તેઓને Excellence of Research Award in the field of Biopesticides એનાયત કરવામાં આવ્યો. સાથે સાથે ડો. પંડ્યાએ સોસાયટી ફોર એડવાન્સમેન્ટ ઓફ હ્યુમન એન્ડ નેચર, ડો. વાય.એસ. પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, નૌની, સોલન, હિમાચલ પ્રદેશ દ્વારા ફેલો તરીકેની માન્યતા પ્રાપ્ત કરી. કૃષિ મહાવિદ્યાલય, ભરૂચની આ સિદ્ધિઓ બદલ નવસારી કૃષિ યુનિવર્સિટી ના આદરણીય કુલપતિ શ્રી ડો. ઝેડ. પી. પટેલ સાહેબ દ્વારા પણ કોલેજના આચાર્યશ્રી ડો.ડી.ડી. પટેલની ઉપસ્થિતિમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button