MEHSANAVIJAPUR

વિજાપુર રણાસણ ગામે કપીરાજનો આંતક કપીરાજે વન વિભાગ ને આપી થાપ

વિજાપુર રણાસણ ગામે કપીરાજનો આંતક કપીરાજે વન વિભાગ ને આપી થાપ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામે કપીરાજના ટોળા માંથી એક કપીરાજ ને હડકવા ઉપડતા ગ્રામજનો ને પરેશાન કરી મૂક્યા છે કપીરાજે અગિયાર જણા ને ઘાયલ કરતા ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરવામાં આવતા વન વિભાગે કપીરાજ ને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કપીરાજ ના ટોળા માં કયા કપીરાજે હડકવા નો ભોગ બનેલા તે જાણવા માટે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ હજુ કપીરાજ નહિ પકડાતા લોકો માં હજુ ભયનો માહોલ જોવા મળ્યો હતો અગિયાર લોકોને ઘાયલ કર્યા બાદ છેલ્લા બે દિવસ માં કપીરાજે કોઈને હેરાન કર્યા નથી તેમ ગ્રામજનો તેમજ પૂર્વ સરપંચ દિપક ભાઈ પટેલે જણાવ્યું હતું જ્યારે વન વિભાગ માં સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કપીરાજ ને ઝડપી પાડવા માટે અને ગ્રામજનો ની રજુઆત ને લઈને પાંજરો મૂકીને ઝડપી પાડવા ની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ કપીરાજ હજુ સુધી નહીં પકડાતા ગ્રામજનો અને વન વિભાગ માટે કપીરાજ માથાના દુખાવા સમાન બન્યા છે જો સત્વરે વન વિભાગ આ બાબતે કાર્યવાહી નહિ કરે તો હજુ કપીરાજ કેટલાને ઘાયલ કરશે તે નક્કી નથી

[wptube id="1252022"]
Back to top button