
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સમસ્યાનું સમાધાન એટલે ‘સ્વાગત’. લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે ‘સ્વાગત’. સરળ અને સંતોષકારક નિરાકરણ એટલે ‘સ્વાગત’. સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારી જીલ્લા સેવા સદન, કાલીયાવાડી ખાતે જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૫ અરજીઓ આવી હતી. જે તમામ અરજીઓનો સકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પાણી પૂરવઠો, વીજળી, મહેસૂલ, ડ્રેનેજ, નગરપાલિકા તથા માર્ગ અને મકાન વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.






