LUNAWADAMAHISAGAR

1962ની સેવા પશુ માટે સંજીવની:કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્ત પશુને નવજીવન આપ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

1962ની સેવા પશુ માટે સંજીવની:કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્ત પશુને નવજીવન આપ્યું

રાજય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરૂપે મૂંગા પશુ જીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નો રાજયના અબોલ પશુ જીવોની આરોગ્ય સારવાર સુવિધામાં કરૂણા એમ્બ્યુલન્સથી ગુજરાતે લીડ લીધી છે

EMRI GREEN HEALTH SERVICE ,ગુજરાત રાજયમાં ૧૯૬૨ થી કરૂણા એનીમલ એમ્બુલન્સ લુણાવાડા તાલુકામાં કાર્યરત છે.જેમાં ફરજ બજાવતાં ડો.રવિ પટેલ અને પાયલોટ ઉપેન્દ્રસિંહને વેલનવાડા ગામમાંથી કોલ મળતા તેઓ વેલનવાડા ગામમાં પહોચી તપાસ હાથ ધરી હતી.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડોગના પાછળના ડાબા પગમાં લોખડનું એક તીર જેવું વાગ્યું હતું. ત્યારબાદ ડો. રવિ પટેલ અને તેમની ટીમ મળીને ડોગને રેસ્કયું કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ડોગને એનેસ્થેસીયા આપી સર્જરી કરી જરૂરી ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button