MEHSANAVIJAPUR

વિજાપુર પાલિકા માં તહેવારો ને લઈને સફાઈ તેમજ બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા રજૂઆત

વિજાપુર પાલિકા માં તહેવારો ને લઈને સફાઈ તેમજ બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલિકા માં ધાર્મિક તહેવારો શરૂ થતાં હોવાથી શહેરના ખત્રીકુવા તેમજ ચક્કર દોશીવાડા રોડ મોમનવાડા કસ્બા સાથબજાર હુસેનીચોક હૈદરીચોક સથવારા વાસ પ્રજાપતિ વાસ સહીતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો તેમજ રોડ ઉપરનો કચરો તેમજ સમયસર પાણી આપવા ની રજૂઆત શહેર યુવક કોંગ્રેસ ના પ્રમુખ તનજીલ અલી સૈયદ દ્વારા પાલિકા માં રજૂઆત કરવામાં આવી છે જેમાં હાલમાં હિન્દૂ સમાજના ચૈત્ર માસમાં ખત્રી કુવા ખાતે નવરાત્રી ના ગરબા તેમજ મુસ્લીમ સમાજના રમજાન માસ એક સાથે શરૂ થઈ રહ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અને ઘણા વિસ્તારોમાં ગટરો નું ગંદુ પાણી ઉભરાઈ ને બહાર આવે છે મુસ્લીમ વિસ્તારમાં મસ્જીદ માં ઈબાદત માટે જતા હોય છે ત્યારે રાત્રીના સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અને ઉભરાતી ગટરો ના કારણે પસાર થવામાં પરેશાની ઉભી થાય છે જેથી સાફ સફાઈ ની વ્યવસ્થા કરવામાં આવે તેમજ વજુ માટે પાણી ની ખાસ જરૂર હોવાથી પાણી પણ પુરુ પાડવું ખત્રીકુવા ચોકમાં ચૈત્ર માસના નોરતા ચાલી રહ્યા છે ત્યારે અહીંના જૂની કોર્ટ તેમજ પ્રજાપતિ વાસ સથવારા વાસ સહીત ના વિસ્તારોમાં સફાઈ કરવાની માંગણી પાલિકા સમક્ષ કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button