
તા.૨ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જેતપુર ના ક્રિકેટરો ને યોગ્ય તક આપવા સર્વપ્રથમ જુનિયર લેવલથી શરૂઆત કરાશે..
સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ પાસે ગ્લોબલ ઈન્ડીયા દર્શન ક્રિકેટ ગ્રાઉન્ડના ભવ્ય ઉદ્દઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે જેતપુરના ક્રિકેટરો ઉચ્ચ લેવલ સુધી પહોંચે તેવું આગામી સિઝન પ્લેટફોર્મ પ્રોવાઇડ કરાશે..

અત્યાર સુધી જેતપુર ના ખેલાડીઓ ને સિલેક્શન માટે રાજકોટ રૂરલ ગોંડલ જ હતું પરંતુ હાલ જેતપુર મા વધતા જતા ક્રિકેટના ક્રેઝ, આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ, ઈન્ફ્રાસ્ટ્રકચર ને લીધે ઘણા બધા સારા ક્રિકેટરો સૌરાષ્ટ્ર તેમજ ભારતીય ટીમ ને મળી શકે તેમ છે.. જેથી જેતપુર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોના યુવા ખેલાડીઓને વધુ ને વધુ તક મલે તે હેતુથી આગામી ક્રિકેટ સિઝનથી જેતપુર ને સર્વપ્રથમ જુનિયર લેવલ ની મેચો થી શરૂઆત કરશે..

આ તકે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ઘડુક, રણજી ટ્રોફીના પ્લેયર ઓફ ધ સિરીઝ અર્પિત વસાવડા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ, ભુપતભાઈ તલાટીયા, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએશનના પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા, સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના સિલેકટર બીપીન પુજારા, ફિરોજ બાંભણિયા, જેતપુર જય શ્રી ગ્રુપના રાજુભાઈ હિરપરા, દિનેશ ભુવા, ઉમેશ પાદરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

વિશેષમા સાંસદ રમેશભાઈ ઘડુક અને જયદેવ શાહ એ જેતપુર સ્પોર્ટ્સ એસોસીએશનના સ્થાપક પ્રમુખ મિતેષ ચૌહાણની વર્ષોની મહેનત ને બિરદાવી હતી સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી..








