JETPURRAJKOT

સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક સેવા આપતી રાજ્યસરકારની ‘‘ખિલખિલાટ વાન’’

તા.૨૮ જયુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વર્ષ ૨૦૨૨માં રાજકોટ જિલ્લાની ૨૮૪૧૬ સગર્ભાઓને ૨૬ ખિલખિલાટ વાનની સેવા અપાઈ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે સરકારી પ્રસૂતિ ગૃહોમાંથી માતાઓને તેમના નવજાત ભૂલકાંઓ સાથે સલામત-આરોગ્યપ્રદ રીતે ઘરે પહોંચાડવાની અવિરત સેવા ‘‘ખિલખિલાટ વાન’’ના માધ્યમથી આપવામાં આવે છે.

ઉપરાંત બીમાર બાળકને હોસ્પિટલથી ઘર સુધી વિનામુલ્યે પહોંચાડવામાં પણ ‘‘ખિલખિલાટ વાન’’ની સેવા મદદરૂપ થઈ રહી છે. ખિલખિલાટ વાનની સેવા રાજ્ય સરકાર અને EMRI Green health service દ્વારા ચલાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે લઈ જવા માટે ૨૬ જેટલી ‘‘ખિલખિલાટ વાન” સતત કાર્યરત છે. આ સેવાના લીધે મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં ‘ખિલખિલાટ વાન’ની સેવા શરૂ થયાથી અત્યાર સુધી ૧૦.૭૯ લાખ સગર્ભાઓ તેમજ વર્ષ ૨૦૨૨માં ૨૮૪૧૬ સગર્ભાઓને મદદરૂપ બની છે.

[wptube id="1252022"]
Back to top button