
તા.૨૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઘટનાની તટસ્થ તપાસ કરી અને અસામાજિક તત્ત્વોને બેનકાબ કરવા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ની માંગ
જેતપુરના ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગને બદનામ કરવા માટે ઘણા હિત શત્રુઓ પ્રયત્નશીલ છે, અને જેતપુરમાં હજારો લોકોને રોજગારી પુરી પાડતાં આ ઉદ્યોગને બદનામ કરવાના સતત પ્રયાસ કરી રહ્યાં છે, જેતપુરનાં ડાઈંગ પ્રિન્ટીંગ ઉદ્યોગ દ્વારા પ્રદુષણને કાબુમાં કરવા માટે સતત પ્રયત્નશીલ છે, અને તે માટે પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા મોટી ક્ષમતાના 2 સીઈટીપી પ્લાન્ટ બનાવેલ છે અને તમામ વિસ્તારનાં કારખાને આવરી ને વેસ્ટ વોટર કલકસન સંપ દ્વારા પ્રદુષિત અને કેમિકલ યુકત પાણી ભેગું કરીને કયાંય પણ પ્રદૂષણ ના ફેલાય તેવી વ્યવસ્થા કરેલ છે અને જે યોગ્ય રીતે કામ કરવામાં આવી છે.
આ વ્યવસ્થાને લઈને જેતપુરની પ્રદુષણ સમસ્યા સમાપ્ત થવાના આરે છે ત્યારે જેતપુરના હજારો લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને બદનામ કરવા માટે કોઈ હિતશત્રુઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે જેતપુરમાંથી પસાર થતી ભાદર સિંચાઈની કેનાલના વહેતા પાણીમાં કોઈ અજાણ્યા શકશો દ્વારા કલરનું ડ્રમ નાખીને પાણીને કલર યુકત કરેલ હતું.

આ બનાવ શહેરથી 10 કિલોમીટર દૂર ચાંપરાજપુર અને બોરડી સમઢીયાના જવાના રસ્તે આવેલ કેનાલમાં કલરનું ડ્રમ નાખીને કેનાલના પાણીને લાલ બનાવી દીધું હતું. અને તે કલરનું ડ્રમ કેનાલના પાણીમાં તણાતું જોવા મળ્યું હતું અને તે એક કારખાના માલિક દ્વારા જોઈને બહાર કાઢવામાં આવ્યું હતું. જે જગ્યાએ બનયો ત્યાં કોઈ કારખાના આવેલ નથી એ વિસ્તારમાં કોઈ કલર કામ થતુ નથી જે જોતાં કોઈ તોફાની શખ્સોએ જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગને બદનામ કરવા માટે આ કૃત્ય કરેલ છે, જેતપુર પ્રિન્ટીંગ ઉદ્યોગ દ્વારા પ્રદુષણને તમામ સ્તરે કાબુમાં લીધેલ છે. ત્યારે જેતપુરના પ્રિન્ટીંગ ઉદ્યોગને બદનામ કરવા માટે કરેલ આ કૃત્યને જેતપુરનાં ઉદ્યોગપતિઓ અને એસોસીએશન સખત શબ્દોમાં વખોડે છે અને આવા લોકો કે જે જેતપુરની રોજગારી અને ઉદ્યોગ ઉપર ખતરા સમાન છે તેનો પર્દાફાશ કરીને બે નકાબ કરશે.
જેતપુરના ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ જેન્તીભાઈ રોમાલિયાના જણાવ્યા મુજબ આ બાબતે પોલીસ ફરિયાદ કરીને આવ્ શખ્સોને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે, સાથે ભાદર સિંચાઈ વિભાગને પણ કેનાલ ઉપર સખત સુપરવીઝન કરવા સાથે માંગ કરેલ છે.








