રાજકોટમાં ખ્વાજા ગરીબ નવાજ ના છઠ્ઠી શરીફ મુબારક નિમિત્તે એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટમાં ખ્વાજા ગરીબ નવાજ ના છઠ્ઠી શરીફ મુબારક નિમિત્તે એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટ ખાતે અહીં આવેલા દૂધસાગર રોડ ખ્વાજા ચોક મા છેલ્લા સાત વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જસને ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી મુબારક નિમિત્તે તારીખ 24 1 2023 થી તારીખ 28 1 2023 સુધી એમ પાંચ દિવસ સુધી નું કાર્યક્રમોઆયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જેમાં તારીખ 24 1 2023 ના રોજ મંગળવારે સાંજે નાના બાળકો માટે નયાજ શરીફ સાંજે 7:00 કલાકે ત્યારબાદ તારીખ 25 ને બુધવારે સાંજે સાત કલાકે નિયાઝ શરીફ નો કાર્યક્રમ યોજાશે અને તારીખ 26 ને ગુરૂવારના રોજ સવારે 9:00 કલાકે રાષ્ટ્રીય ધ્વજ અને તેજસ્વી વિદ્યાર્થીઓને કીટ એન્ડ શીલ્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ તારીખ 27 ના રોજ શુક્રવારે રાત્રે 10:00 કલાકે કવાલી નો કાર્યક્રમ યોજાશે અને તારીખ 28 ને શનિવારે ફરી બાળકોની ન્યાજ શરીફ નો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં કોમી એકતાના પ્રતીક સર્વે હિન્દુ મુસ્લિમ અગ્રણી આગેવાનો પ્રતિષ્ઠ પ્રમાણિત વેપારીઓ પત્રકારો વકીલ ડોક્ટર અને સંસ્થામાં નવા હોદ્દેદારો અન્ય જિલ્લામાંથી નિમણૂક તેમજ સન્માન નો કાર્યક્રમ 26 જાન્યુઆરી નિમિત્તે રાખેલ છે જેમાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજીભાઈ બુચડ ની આગેવાની હેઠળ સમગ્ર સંસ્થાના સભ્યો હોદ્દેદારો સહિત વિવિધ શહેર જિલ્લામાંથી મહેમાનો હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવશે એવું એક અખબારી યાદીમાં સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે








