INTERNATIONAL

પ્રિન્સ હેરીના કારણે થયું મહારાણી એલિઝાબેથ-IIનું મૃત્યુ!, બ્રિટિશ લોકોનો સનસનાટીભર્યો દાવો

ગયા વર્ષે સપ્ટેમ્બર 2022 માં, બ્રિટનની રાણી એલિઝાબેથ II ના મૃત્યુના કારણો વિશે એક સનસનાટીભર્યા દાવો સામે આવ્યો હતો, જેમાં પ્રિન્સ હેરીને રાણીના મૃત્યુનું કારણ કહેવામાં આવી રહ્યું છે. આખરે, પ્રિન્સ હેરી કોણ છે અને રાણીના મૃત્યુ સાથે તેનો શું સંબંધ હોઈ શકે?… બ્રિટનના રાજવી પરિવારના સહયોગીઓના આ દાવાએ વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે.

વાસ્તવમાં પ્રિન્સ હેરીએ પોતાના નવા સંસ્મરણો ‘સ્પેર’માં બ્રિટનના શાહી પરિવાર પર અનેક આરોપો લગાવ્યા છે. જણાવી દઈએ કે પ્રિન્સ હેરીએ વર્ષ 2020 માં શાહી જીવન છોડી દીધું અને કેલિફોર્નિયા જતા રહ્યા. પોતાના નવા સંસ્મરણોમાં તેમણે રાજવી પરિવાર પર અનેક આરોપો લગાવ્યા છે. જો કે, તેમના સંસ્મરણોમાં શાહી પરિવારના સહાયકો દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને શનિવારે નકારી કાઢવામાં આવ્યા હતા. પ્રિન્સ હેરીએ પણ તેમના પુસ્તકમાં રાજાશાહી પર નિશાન સાધ્યું અને તેને એક એવી સંસ્થા ગણાવી જે તેમને સમર્થન આપવામાં નિષ્ફળ ગઈ.

આ સિવાય તેમણે બ્રિટનના શાહી પરિવાર પર બીજા ઘણા પ્રકારના અંગત હુમલા પણ કર્યા છે. બ્રિટનના લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટિશ શાહી પરિવાર પર હેરીના જાહેર હુમલાથી મહારાણી એલિઝાબેથ દ્વિતીયના સ્વાસ્થ્યને પણ અસર થઈ હતી, જેના કારણે સપ્ટેમ્બરમાં તેમનું અવસાન થયું હતું. કારણ કે તેમના પુસ્તકના ઘણા ભાગો જાહેર થઈ ચૂક્યા હતા.

હેરીના પુસ્તક પર 2021 થી વિવાદ

પ્રિન્સ હેરીના સંસ્મરણોમાં શાહી પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોને લઈને 2021 થી હોબાળો થઈ રહ્યો છે. જો કે, બકિંગહામ પેલેસે હાલના સમયે પ્રકાશમાં આવેલા રહસ્યો પર હેરી પર સત્તાવાર રીતે ટિપ્પણી કરી નથી. પરંતુ બ્રિટિશ અખબારો અને વેબસાઇટ્સ શાહી પરિવાર સાથે જોડાયેલા અનામી સ્ત્રોતોના નિવેદનોથી ભરેલા છે, જેમાં હેરીના આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. જોનાથન ડિમ્બલબી, બ્રિટનના રાજા ચાર્લ્સ III ના મિત્ર અને પીઢ પત્રકારે જણાવ્યું હતું કે હેરીના ઘટસ્ફોટ “તમે અપેક્ષા રાખતા હતા તે પ્રમાણે હતા અને રાજાને દુઃખ અને નિરાશા થઈ હશે.”

હેરીએ કર્યો 25 તાલિબાન લડવૈયાઓને માર્યાનો દાવો 

હેરીના પુસ્તક “સ્પેર” માં ઘણા બધા દાવાઓ છે અને તે રાજકુમાર અને તેની પત્ની મેઘન દ્વારા જાહેર નિવેદનોની શ્રેણીમાં નવીનતમ છે. કેલિફોર્નિયા જતા હેરીએ કહ્યું કે તેની પત્ની મેઘન સાથે મીડિયાનો વ્યવહાર જાતિવાદી હતો અને તેને મહેલ તરફથી સમર્થન મળ્યું નથી. “સ્પેર” પુસ્તક મંગળવારે વિશ્વભરમાં રિલીઝ થવાનું છે. 2021 માં ઓપ્રાહ વિન્ફ્રે સાથેના પ્રસિદ્ધ ઇન્ટરવ્યુ સહિત, રાજવી પરિવારથી તેમના અલગ થવા વિશે મીડિયામાં ઘણી ચર્ચા થઈ છે જેણે ખૂબ વિવાદ ઉભો કર્યો હતો.

હેરીએ તેના પુસ્તકમાં એવો પણ દાવો કર્યો છે કે તેમણે અફઘાનિસ્તાનમાં અપાચે હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપવા દરમિયાન 25 તાલિબાન લડવૈયાઓને માર્યા હતા. તેમના દાવાની તાલિબાન અને ભૂતપૂર્વ બ્રિટિશ લશ્કરી અધિકારીઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. આ પુસ્તકમાં હેરીના બાળપણ, તેના શાળાના દિવસો, શાહી સભ્ય તરીકે જીવન અને બ્રિટિશ આર્મીમાં કાર્યકાળ, માતા-પિતા અને ભાઈ સાથેના સંબંધો અને લગ્ન પહેલા અને પછી મેઘન સાથેના તેમના સંબંધોનો ઉલ્લેખ છે.

[wptube id="1252022"]
Back to top button