MORBI:મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

MORBI:મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ
મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોર ચિખલીયા દ્વારા ખાણ અને ખનીજ વિભાગના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી
મોરબી જીલ્લામાં અનેક પ્રકારના કુદરતી ખનીજ સંશાધનો આવેલા છે અને તેનું ખનન પણ ખુબ જ મોટા પાયે થઈ રહયું છે. ત્યારે મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, એલ.સી.બી., તાલુકા તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ, એસ.ઓ.જી., તથા આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ સામુહિક રીતે એકબીજાની મીલીભગતથી છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહયો હોય તેવું અમોને સામાજીક કાર્યકર્તાઓ દ્વારા મૌખીક જણાવવામાં આવેલ છે. આ ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચાર ભાજપના રાજકીય આગેવાનોના ઈશારે બેફામ રીતે ચાલતું હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જેની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોની ભ્રષ્ટાચારની પોલ ખુલે તેમ છે.
મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી સિરામિક ઝોન અને બાંધકામ ઝોન જેવા ક્ષેત્રોમાં ખનીજનો બેફામ ઉપયોગ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલ છે. તાજેતરમાં મોરબી જીલ્લામાં બહારના બીજા જીલ્લાના અધિકારીઓ દ્વારા આ બાબતે રેડ પાડીને
ભ્રષ્ટાચાર પકડી પાડેલ છે. જો મોરબી જીલ્લા બહારના બીજા જીલ્લાના અધિકારીઓ રેડ પાડી ભ્રષ્ટાચારીઓને પકડી પાડે છે તો મોરબી જીલ્લાના અધિકારીઓ શું કરે છે ? તેની તાકીદે તપાસ કરવા વિનંતી છે. મોરબી જીલ્લામાં ચાલતા ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારમાં સરકારશ્રીના અન્ય વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ તેમના મળતીયાઓ સામે શા માટે કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી ? જે એક શંકાનો વિષય છે. ઉપરોકત બાબતે તાકીદે તપાસ કરી, જવાબદારો સામે પગલા લેવા, કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે