
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૪ ની પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાનું પરીણામ ઓછુ આવેલ હોઇ, તેને ધ્યાને લઈ જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન પ્રવાહ-૨૦૨૫ પરીણામ સુધારણા અંગે ચિંતન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પરીણામ સુધારણા અંગે વિવિધ શાળાઓ પાસેથી રિવ્યુ લઈ જરૂરી સુચનો આપ્યા હતા. બેઠક દરમિયાન અસરકારક શિક્ષણ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નો એક્શન પ્લાન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વર્ષે “MISSION-33” અંતર્ગત તમામ શાળાઓમાં સારૂ પરીણામ લાવવા માટે કરવામાં આવેલ આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમાર તેમજ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર