ધાનપુર તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને સસરાના પેન્શન બાબતે જેઠ દ્વારા અપશબ્દ બોલી મારકૂટ કરવામાં આવે છે

તા.૦૬.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dhanpur:ધાનપુર તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાને સસરાના પેન્શન બાબતે જેઠ દ્વારા અપશબ્દ બોલી મારકૂટ કરવામાં આવે છે
ધાનપુર તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને સસરાના પેન્શન બાબતે જેઠ દ્વારા અપશબ્દ બોલી મારકૂટ કરેલ છે તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેઓના સસરા પેન્શનર છે અને તેઓને પેરાલિસિસની તકલીફ હોય જેથી હલન છલન થતું નથી પત્ની હોવા છતાં પત્ની તેમની કોઈપણ પ્રકારની સેવા કરતા નથી જેથી તેઓ પોતાના નાના દીકરાની વહુ જે પીડિતા પાસે રહે અને તે તમામ સેવા કરે છે તેમ છતાં તેમના સસરા દર મહિને ચારેય દીકરા કમાતા હોવા છતાં 2500 રૂપિયા મહિને આપી દે છે પરંતુ આ મહિનાનું પેન્શન હજી ઉપાડ્યું જ નથી તેમ છતાં તેમના મોટા દીકરાએ આ પીડિત મહિલા પર પેન્શન બાબતે ખોટા અક્ષેપો કરેલ કે તમામ પેન્શન તારા પિયરમાં આપે છે તેમ કહી અપશબ્દ બોલી મારકૂટ કરેલ જેથી 181 ટીમ દ્વારા પીડિતાના જેઠને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ કે આવી રીતે કોઈ મહીલા પર હાથ ઉપાડવો ગુનો બને છે અને હાલ તમે સરકારી નોકરી કરો છો તેમ છતાં એટલા પૈસા માટે મારકૂટ કરો એ શરમજનક બાબત છે અને અને તમે આવી રીતે તમારા પિતાને પૂછ્યા વગર ખોટા અક્ષેપો કરો એ યોગ્ય નથી જેથી આવી ભૂલ ન થવી જોઇએ નહીતો લીગલ કાર્યવાહી થશે તો તમારી નોકરીનો સવાલ છે એમ કાયદાનો પાઠ ભણાવતા જેઠ દ્વારા પોતાની ભૂલની માફી માંગી અને બહેદારી આપેલ કે અજપછી કોઈપણ પ્રકારની હેરાનગતિ કરીશ નહિ તેમ જણાવતાં પીડિતા પણ તેમના જેઠ જોડે સમાધાન કરવા માગતા હોય જેથી અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવેલ છે








