MORBI:મોરબીના મચ્છુ 2 ડેમના સ્લીપ વે બ્રીઝ પરથી બીમારીથી કંટાળી આધેડે આપધાત

MORBI:મોરબીના મચ્છુ 2 ડેમના સ્લીપ વે બ્રીઝ પરથી બીમારીથી કંટાળી આધેડે આપધાત
મોરબીના જોધપર નદી નજીક મચ્છુ 2 ડેમના સ્લીપ વે બ્રીઝ પરથી બીમારીથી કંટાળી આધેડે આપધાત કરી લીધો હોવાની માહિતી મળી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

મોરબીના શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરીમાં રહેતા મનોજભાઈ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા (ઉ.૪૪) ને છેલ્લા અઢારેક વર્ષથી માનસિક બીમારી હોય જેની દવા હોય તેમજ આજથી આશરે આઠેક વર્ષ પહેલા સોનીકામ કરતા સમયે સોનું ગાળવાની ગેસગનમાં ગેસ ચાલી રહી જતા ગેસગનને સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગયેલ જેના કારણે વ્યવસ્થિત સમજી શકાય તેમ બોલી નહિ શકવાની તફલીફ થતા બંને બીમારીથી કંટાળી જઈ જોધપર નદી મચ્છુ 2 ડેમના સ્લીપ વે બ્રીઝ પર પોતાના ચંપલ-મોબાઈલ અને પાકીટમાં સુસાઇડ નોટ મૂકી ડેમના પાણીમાં ઝંપલાવીને આપધાત કરી લીધો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.








