MORBIMORBI CITY / TALUKOTANKARA

Tankara:ટંકારા આયુષ્માન આરોગ્ય મંદિર નાના ખીજડીયામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

ટંકારા :આયુષ્માન આરોગ્ય મંદિર નાના ખીજડીયામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કામગીરી દ્વારા હાથ ધરાઈ

ટંકારા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર નાના ખીજડીયા ના ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ તા. ૨૨/૦૪/૨૦૨૪ થી નાના ખીજડીયા, મોટા ખીજડીયા, ગામ ખાતે NVBDCP અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કામગીરી ની શરૂઆત કરવામાં આવી,ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશભાઈ કે પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સુપરવાઇઝર મનસુખભાઈ કે મસોત ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારી શ્રી જયદીપ એલ ભટ્ટ, તથા અન્ય આરોગ્ય કર્મચારી શ્રી ઓ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી અંતર્ગત મચ્છરજન્ય રોગચાળાઓ અટકાયત કરવા માટે હાઉસ ટુ હાઉસ એન્ટી લાર્વલ કામગીરી તેમજ કાયમી પાણીના ખાડાઓ, અવાવરુ કૂવાઓ અને જળાશયોમા ગપ્પી માછલીઓ મૂકવામા આવી. જે રોગચાળો ફેલાતો અટકાવવા મદદ કરે છે જે મચ્છરનો ઉપદ્રવ થવા થવા દેતી નથી. તેમજ મચ્છર જન્ય રોગચાળા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button