
મોરબી સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ નું ગૌરવ……..

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ માં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવી મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ. મૂળ ગામ ( ધ્રુવનગર ) હાલ મોરબીના રહીશ રાજેશભાઇ કુકરવાડીયા હનુમાન જયંતિના પવિત્ર દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે, પૂજ્ય મોરારિબાપુના સાનિધ્ય માં દેશના મહાનુભાવોની ઉપસ્થિતી મા ઉચ્ચ કલાકારો સાથે એવોર્ડ અર્પણ કરવામા આવશે.જે ગૌરવ પૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે. મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસ માં સૌ પ્રથમ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવાર જનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.

[wptube id="1252022"]








