GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ડૉ.આંબેડકર ભવન ટંકારા ખાતે  નાગપુર નાં મિશનરીઓ નો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો..

TANKARA:ડૉ.આંબેડકર ભવન ટંકારા ખાતે  નાગપુર નાં મિશનરીઓ નો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો…

સમસ્ત ભારતભરમાં બૌદ્ધ ધમ્મ અને ફૂલે આંબેડકરી ચળવળને વેગ આપનાર, અનેક બુદ્ધ વિહાર તેમજ આંબેડકર ભવન કે સામાજિક સ્થળો પર લાખોની કિંમતે તથાગત ગૌતમ બુદ્ધ તથા બાબાસાહેબ ડૉ.આંબેડકર ની પ્રતિમાઓનું દાન કરીને સમાજને ધમ્મ, શિક્ષણ અને સંગઠન પ્રત્યે પ્રેરણા આપનાર જીંદાદિલ ઈન્સાન દિવંગત સંજય મિશ્રામ સાહેબનાં ધર્મ પત્નિ કલ્પનાબેન મેશ્રામ તથા એમનો મિશનરી પરિવાર નાગપુર થી આજ રોજ ટંકારા મુકામે પધારેલ હતાં..
ટંકારા તાલુકા અનુસુચિત સમાજ દ્વારા એમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું..
દિવંગત સંજય મેશ્રામ સાહેબ નાં પરિવાર પ્રત્યે ઋણ સ્વિકાર કાર્યક્રમ રાખેલ હતો. જેમાં મેશ્રામ સાહેબ નાં તૈલી ચિત્રને ફુલહાર અર્પણ કરીને, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી પાઠવી હતી..


નાગપુર થી પધારેલાં કલ્પનાબેન મેશ્રામ તેમજ પોરબંદર થી પધારેલાં ભંતે જી પ્રજ્ઞારત્નજી તથા સા.ન્યાય સમિતિ નાં પ્રવાહક અશોકભાઈ ચાવડા, પુનાભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ મેશ્રામ, સંકલ્પ બુદ્ધ વિહારનાં સંયોજક રાજેશભાઈ ચાવડા, મનોજભાઈ ચૌહાણ, દેવેન્દ્ર ભાઈ, રમેશભાઈ પારઘી વગેરે મહાનુભાવો ને શાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં…ભંતે પ્રજ્ઞારત્નજી એ બૌદ્ધ ધમ્મ દેશના આપી હતી. અશોકભાઈ ચાવડા તેમજ પુનાભાઈ સોલંકી એ પ્રસંગ ને અનુરૂપ શાબ્દિક પ્રવચન આપ્યું હતું.

સ્વાગત સમિતિનાં આયોજકો રમેશભાઈ રાઠોડ, નાગજીભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ પાંચાલ, મહેશભાઈ લાધવા, વિઠ્ઠલભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, મહેશભાઈ સારેસા, હિરાભાઈ જાદવ, એડ.મનશુખભાઈ ચૌહાણ, કૌશિકભાઈ પારિયા, ઉમેશભાઈ ગોહિલ, મોતીભાઈ ચૌહાણ, વિનોદભાઈ પાટડિયા, મહેશભાઈ વરણ, વાલજીભાઈ સોલંકી, હસમુખભાઈ રાઠોડ વગેરે યુવા વડિલોએ જહેમત ઉઠાવી હતી…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button