DEDIAPADANANDODNARMADA

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ : ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે સરકારને આપ્યું અલટીમેટમ

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ : ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે સરકારને આપ્યું અલટીમેટમ

આદીવાસી વિસ્તારમા અઢળક સમસ્યાઓ ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા ?? : MLA ચૈતર વસાવા

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ૪- ૫ કિમી નજીક આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા ૧૨ દિવસથી લાઈટો નથી???

રાજપીપળા: જુનેદ ખત્રી

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં નર્મદા જીલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જંગી બહુમતીથી જીત મેળવી છે . જીત મેળવ્યા બાદથી તેઓએ પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પોતાના વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. ચૈતર વસાવા પાસે ડેડિયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા.ચૈતર વસાવા તુરંત ખેડૂતો અને સરપંચો સાથે વીજ કચેરીએ પહોંચી ગયા હતા.અને પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારઓને સૂચના આપી હતી.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અહીંયાના એન્જિનિયર અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી.અહીંયા છેલ્લા પાંચ વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી ૧૦૨૯ અરજીઓ પેંડીગ છે, તો બીજી બાજુ એન્જિનિયર કહે છે કે ગ્રાન્ટનો અભાવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાંચ કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા ૧૨ દિવસથી લાઈટો નથી. તો આ બાબતે અધિકારીઓ જણાવે છે કે સુરતથી ટીમ મોકલી હું ચેક કરાવું છુ.નર્મદા ડેમ નજીકના ગામોમાં જ પાણી માટે લોકો વલખાં મારે છે.ખેતરમાં જ્યારે ટિસી બળી જાય ત્યારે ખેડૂતો ૩ મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી.આ વિસ્તારમા સોલાર સીસ્ટમ નિષ્ફળ ગઈ છે.આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ મારે સરકારને પૂછવું છે.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં GEB સબ સ્ટેશન બનાવવા માટે સરપંચોએ 70/70 ની જમીનો ફાળવી ઠરાવ આપી દિધો હોવા છતાં સબ સેન્ટરો ફાળવવામાં આવ્યા નથી.ગુજરાતમાં ઉધોગોને જેવી રીતે મફતના ભાવે વીજળી મળે છે એવી રીતે ગુજરાતનાં તમામ લોકોને મફતના ભાવે વીજળી મળે એવી અમે સરકારમાં રજૂઆત કરીશું. આદીવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે, અસમાનતા રાખે છે. જો અમને સમય પર વીજળી અને પાણી આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું, નર્મદા ડેમ પર વીજળી ઉત્પન્ન થાય છે એ પાવર હાઉસ કબજે કરીશું એને નર્મદા ડેમની મુખ્ય કેનાલ પણ બંધ કરી દઈશું તેવી ચીમકી ઉચ્ચારી છે

બોક્ષ મેટર.

ખેતી લક્ષી વીજ કંપની જોડાણ માટે ખેડૂતો પાસે પૈસા લેવાય છે , ઓળખ પરેડ કરાવવાની ચીમકી…

ખેડૂતોએ ધારાસભ્ય ચૈતર વસાવાને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ખેતી લક્ષી વીજ જોડાણ માટે પૈસા માંગવામાં આવે છે. એ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે થાંભલા રોપાય ત્યારે ૧૫૦૦ રૂપિયા, લાઈનો ખેંચાય ત્યારે ૨૦૦૦ રૂપિયા અને મીટર મુકાય ત્યારે ૨૫૦૦ રૂપિયા ખેડૂતો પાસેથી માંગવામાં આવે છે એવી મારી પાસે ફરીયાદ આવી છે.આગામી સમયમાં અમે GEB કચેરી ખાતે કર્મચારીઓની ઓળખ પરેડ કરીશું, જે અધિકારી અથવા કર્મચારીએ ખેડુત પાસે પૈસા લીધા હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે

[wptube id="1252022"]
Back to top button