MEHSANAVIJAPUR

કડીમાં એસ ટી ડેપો માંથી માનસીક ત્રાસ આપી ધંધુકા ડેપો માં બદલી કરતા એસટી ટીસી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

કડીમાં એસ ટી ડેપો માંથી માનસીક ત્રાસ આપી ધંધુકા ડેપો માં બદલી કરતા એસટી ટીસી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી ડેપોના મેનેજર ટીઆઈ અને અન્ય એક અધિકારી દ્વારા ડેપોના કર્મચારી અશોકભાઈ ચાવડા ને પોતાની હંગામી ટીસી તરીકે ફરજ દરમ્યાન માનસિક શારીરિક ત્રાસ આપી ક્રેડિટ થ્રિફટ સોસાયટી સહીઓ કરાવી પરેશાન કરી તેઓની ધંધુકા ખાતે બદલી કરી જો હુકમી નિર્ણય કરતા ફીનાઈલ પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આત્મહત્યા પહેલા તેઓએ ડેપો મેનેજર તેમજ ટીઆઈ તેમજ અન્ય એક કર્મચારી ઉપર ગંભીર આક્ષેપ કરતો પત્ર સુસાઇડ નોટ લખી હતી જોકે આત્મહત્યા નો ગંભીર પરિણામ આવે તે પહેલાં અશોક ભાઈ ચાવડા ને સારવાર માટે દવાખાને લાવી દેવામાં આવતા હાલ તબિયત સ્ટેબલ છે તેઓની રૂબરૂ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે ડેપો મેનેજર વિનિતા બેન તેમજ ટીઆઈ અસજગર ખાન કે પઠાણ તેમજ મુકેશભાઈ પટેલ સહિત ત્રણે જણા મારી હંગામી ટીસી તરીકે બઢતી ને લઈને મારી સાથે ઓરમાયું વર્તન કરી માનસિક પરેશાન કરતા જે બાબત ની તમામ વાહન વ્યવહાર વિભાગની શાખાઓ અને તંત્ર ને જાણ કરી તેઓના પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ કરવા છતાં પ્રશ્નો નો કોઈ ઉકેલ નહીં જણાતા ફીનાઈલ પી આત્મહત્યા નો પ્રયાસ કર્યો તે પહેલાં ત્રણે અધિકારીઓ ની કહાની દર્શાવતો પત્ર સુસાઇડ નોટ લખી હતી જો તંત્ર આવા બોગસ કર્મચારીઓ સામે કોઈ પગલાં નહિ ભરે અને મારાથી કોઈ અજુગતુ થઈ જશે તો તેની જવાબદારી આ ત્રણ કર્મચારી અને તંત્ર ની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જ્યારે આ મામલે એસટી વિભાગ ના ડેપો મેનેજર વિનિતા બેનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુકે અશોકભાઇ ચાવડાએ કરેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે તેમને કોઈએ પરેશાન નથી કર્યા તેઓની બદલી ધંધુકા ખાતે કરવામાં આવી છે કડી ડેપો સાથે કોઈ લેવા દેવા નથી જોકે એસટી માર્ગ વાહન વિભાગ ના ઉચ્ચતરીય અધિકારીઓ એ બંને પક્ષે ન્યાયિક તપાસ કરી પ્રશ્ન નો સત્વરે નિકાલ લાવવો જરૂરી છે નહીતો કોઈ એક કર્મચારી અને કોઈ એક પરિવાર નો સભ્ય ગુમાવવો ના પડે તે પહેલાં તંત્ર દ્વારા ઉભો થયેલ પ્રશ્ન નો નિરાકરણ લાવવો જરૂરી બન્યો છે

[wptube id="1252022"]
Back to top button