
વ્યાજે નાણા ધિરાણ કરનાર સામે પોલીસે પ્રજા સંપર્ક સેતુ શરૂ
રિપોર્ટર ધવલ ત્રિવેદી મોરબી

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રજા ચિંતન કાર્ય શરૂ કર્યું હોય તેના ભાગરૂપે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી અંતર્ગત આદેશ આપવામાં આવ્યો છે જેથી સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા પ્રજા જન સંપર્કસેતુ કાર્યક્રમ અંતર્ગત ગેરકાયદેસર વ્યાજે નાણા ધિરાણ કરનાર લોકો સામે પોલીસે કાયદાનું શાસ્ત્ર ઉગાવ્યું છે અને ગેરકાયદેસર વ્યાજનું વ્યાજ ઉઘરાણા કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં પ્રજા પોલીસ જનસંપકસેતુ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે તેમાં વિવિધ શહેર જિલ્લામાંથી વ્યાજે પૈસા લેતી દેતી કરનારા પોલીસ ચોપડે ચઢીયા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વ્યાજખોરોના વ્યાજમાંથી મુક્તિ અપાવવા નો પ્રયાસ ફરજ ના ભાગે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે તેમાં ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોમા ખળભળાટ વ્યાપી ગયો છે જેમાં વિવિધ શહેર જિલ્લામાં ઘણા વ્યાજખોરો દ્વારા જમીન જાયદાત મિલકતો લખાવી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર એ હા કરી છે જેથી વ્યાજનું વ્યાજ જેને પેરેન્ટ્રી તરીકે વસૂલવામાં આવતી હોય તેવા વ્યાજખોરો સામે ઠેર ઠેર વિવિધ પોલીસ મથકોમાં પોલીસ તંત્ર દ્વારા પ્રજાને જાગૃતિ અંતર્ગત પ્રજા જન સંપર્ક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયેલ જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તેમાં વિવિધ પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ સમગ્ર પોલીસ ટીમ સહિત પોલીસ મથકની હદમાં આવેલા સ્થાનિક અગ્રણીઓ આગેવાનો વગેરે લોકો તસવીરમાં દ્રશ્યમાન થાય છે








