MAHISAGARSANTRAMPUR

સંતરામપુરના માનગઢ ખાતે ગુજરાતી ફિલ્મ” માનગઢ હત્યાકાંડ” નાં શૂટિંગ નો પ્રારંભ

રિપોર્ટર

અમિન કોઠારી : સંતરામપુર

માનગઢ ખાતે ગુજરાતી ફિલ્મ કલાકારો દ્વારા” માનગઢ હત્યાકાંડ ” ફિલ્મના મુહૂર્ત અને શોટ્સ સાથે શુટીંગનો પ્રારંભ

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ ધામ ખાતે પૂજારા ફિલ્મ તેમજ વડોદરાનાં સુરેશભાઈ એમ ઠક્કર દ્વારા “માનગઢ હત્યાકાંડ” અને ગોવિંદ ગુરૂ ના ગુજરાતી ફિલ્મનુ શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો .

 

 

માનગઢ ખાતે આદીવાસી સમાજને લઈ તેમજ ગુરુ ગોવિંદના જીવનકાર્ય ને લઈ અને અંગ્રેજો દ્વારા આદીવાસી સમાજ પર કરવામાં આવેલ હત્યાકાંડને લઈને સવિશેષ શોર્ટ લેવામાં આવ્યા હતા.

માનગઢ ધામ પર આવેલ વિવિધ જગ્યાના સીન લઈ અને આ ફિલ્મની શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે આ ફિલ્મમાં આદિવાસી સમાજના કલાકારો સ્થાન આપવામાં આવ્યુ હતુ.

આ ફિલ્મના લેખક ડાયરેક્ટર પરાગ પટેલ તેમજ નિર્માતા સુરેશ ઠક્કર તેમજ અન્ય કલાકારોની ઉપસ્થિતમા માનગઢ હત્યાકાંડ ની ગુજરાતી ફિલ્મની શુભ શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે આ ફિલ્મના શુટિંગ દરમિયાન આજુબાજુના સ્થાનિક લોકો પણ ફિલ્મનુ શુટિંગ નિહાળવા માટે ઉપસ્થિત થયા હતા.

આદીવાસી સમાજની પ્રણાલી ના અનુસંધાનમાં અને આદિવાસી સમાજને ઉજાગર કરતુ નવુ નજારાણુ ગુજરાતી ફિલ્મ માનગઢ હત્યાકાંડ ફિલ્મનુ શુટિંગ શરૂ થતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પણ માનગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા સવિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button