AHAVADANG

નવસારી: દશ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરાવી લેવા જોગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (યુ.આઇ.ડી.એ.આઇ.) ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને કોઇ આધાર અપડેશન કરવામાં આવેલા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો લાભ લેવા નિયત દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવા લેવા જણાવાયું છે. જે માટે સરકારશ્રી દ્વારા રૂા.૫૦/- નો દર નકકી કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button