
3 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ ચૂડમેર પ્રાથમિક શાળા માં તિથિ ભોજન આપવમાં આવ્યું હતું જેમાં બાળકોને ખિરો અને મગનું શાખ આપવામાં આવ્યું હતું. જેમાં દાતા શ્રી વરણ ભરતભાઈ ચમનભાઈ તેમજ ગીરીશભાઈ ચમનભાઇ દ્વારા ચૂડમેર પ્રાથમિક શાળામાં ૪૨૧ બાળકોને તિથિ ભોજન અપાયું. જેમાં શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના સ્ટાફ દ્વારા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. માન્યવર કાશીરામ બ્રિગેડ ના ઉતર ગુજરાત સોશીયલ મિડીયા ઇન્ચાર્જ ભરતભાઈ.એસ.વરણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બન્ને દાતાશ્રીઓ દ્વારા ચૂડમેર પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું તે ખરેખર એક અલગ દાખલો બેસાડ્યો છે અને વિધાર્થીઓ પ્રત્યે ખૂબ સારી લાગણી નિભાવી છે અને સાથે સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
*પત્રકાર.પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*
[wptube id="1252022"]